પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત પોલીસ દ્વારા આયોજિત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 54 ફરિયાદીઓને અંદાજે ₹12 લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. પરત અપાયેલા મુદ્દામાલમાં આશરે ₹9 લાખના ચોરાયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાનૂની પ્રક્રિયાને સરળ બનાવી મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ ઝડપી અને સરળતાથી પરત કરવાનો છે. ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી અભિગમ સાથે સતત કામગીરી કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન માત્ર પાલનપુર ડિવિઝનમાં જ અંદાજે ₹1.25 કરોડનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે, જે અભિયાનની સફળતાનો પુરાવો છે. પોલીસે જણાવ્યું કે નાગરિકોને ઓછી અગવડ પડે, કાનૂની પ્રક્રિયા વધુ સરળ બને અને પોલીસ તથા પ્રજા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત થાય તે માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે.
પાલનપુરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ: 54 ફરિયાદીઓને 12 લાખનો મુદ્દામાલ પરત

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતીવાડા પાસે અકસ્માતમાં એકનું મોત; : દિયોદર કોર્ટનો હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ
11 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ફૂડ વિભાગની લાલ આંખ:21 હોટેલ- રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા હાટ પ્રોજેક્ટ: ડી.એન.પી. કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર સહયોગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બેફામ ખનીજ ચોરી: નિયમો નેવે મૂકી રેતી માફિયાઓ સક્રિય, તંત્ર સામે સવાલો
3 દિવસ પહેલા
