રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા21 એપ્રિલ, 2026| Super Admin

'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા

'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા

 ડીસા શહેર દક્ષિણ પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ગુમ થયેલા 8 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ.1,32,200 આંકવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જાહેર જનતાના ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી. કોટવાલની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ અરજદારો દ્વારા ગુમ થયેલા, પડી ગયેલા કે ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ હતી. આ અરજીઓના આધારે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ અને ખાસ પોર્ટલનો ઉપયોગ કરીને આ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.

આ ઉપરાંત, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ સ્ટેશનમાં 1988 થી 2024 સુધીના ચોરી, લૂંટ અને ઠગાઈના ગુનાઓમાં જમા થયેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ, જેમાંથી 9 ગુનાઓ કોર્ટ દ્વારા ફેસલ થઈ ચૂક્યા છે, તે મુદ્દામાલ પણ પરત કરવામાં આવ્યો છે. આ દાગીનાની અંદાજિત કિંમત રૂ. 55,205 (વર્તમાન બજાર કિંમત આશરે રૂ.8,45,000) છે, જે તેમના મૂળ માલિકો કે તેમના વારસદારોને શોધી કાઢી પરત સોંપવામાં આવ્યા હતા

સંબંધિત સમાચાર