ઉનાળાના સમયમાં તરોતાજા તરબૂચની વિશેષ માંગ

ઉનાળામાં રોજિંદા પાણીના સેવનની પૂર્તિ માટે તરબૂચનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ; ઉનાળાની સીઝનમાં સૂર્ય નારાયણ ધીમેધીમે તપવા લાગતા લોકો ગરમીનો અહેસાસ કરવા લાગ્યા છે. તેથી ગરમીથી રાહત મેળવવા લોકો અવનવા નુસ્ખા અપનાવે છે. પણ તેમાં ઠંડક આપતા ઉનાળુ ફળોનો નુસ્ખો કારગત નિવડે છે. તેમાં પણ તરોતાજા તરબૂચની વિશેષ માંગ રહે છે. કારણ તરબૂચ ગરમીથી રાહત આપવા સાથે સ્થૂળતા ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે. તરબૂચમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આનાથી પેટ ઝડપથી ભરાય છે અને શરીરમાં ખૂબ જ ઓછી કેલરીનો વપરાશ થાય છે. પાણીથી ભરપૂર હોવાથી તરબૂચ શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. જે લોકોને અતિશય આહાર અને જંક ફૂડની લાલસાથી બચાવે છે. જેને લઈ જિલ્લાની બજારોમાં તરબૂચનું આગમન થઈ ગયું છે. જેમાં સ્ટોલ સાથે કેટલાક ખેડૂતો ખેતરમાં પકવેલ તરબૂચ વાહન દ્વારા ડાયરેક લોકોને વેચાણ કરતા પણ જોવા મળે છે. જ્યારે ખેતરોમાં પણ તરબૂચના ઢગ નજરે પડી રહ્યાં છે.
ટેગ્સ:##Agriculture#Watermelon#Health Benefits#hydration#Local Farmers#Summer Fruits#Obesity Reduction#Seasonal Produce#Nutrition#Fresh Produce Market#Calorie Control#Dietary Choices#Cooling Foods#Food Trends#Summer Recipes
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
