રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2025| Super Admin

જિલ્લામાં કેસ નથી પણ લક્ષણ જણાય તો તરત સારવાર લો : એચએમપીવી વાયરસને લઈને સતર્ક

જિલ્લામાં કેસ નથી પણ લક્ષણ જણાય તો તરત સારવાર લો : એચએમપીવી વાયરસને લઈને સતર્ક
જિલ્લાના તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ ચીનથી ફેલાયેલ એચએમપીવી વાયરસને લઈને ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત સોલંકીનું કહેવું છે કે હાલમાં બનાસકાંઠામાં એક પણ કેસ નથી.પણ તેમણે સલાહ આપી છે કે જો તમને ખાંસી આવે કે છીંક આવે તો મોઢા અને નાકને રૂમાલથી ઢાંકી દો. આ સાથે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જો તમે બીમાર છો તો જાહેર સ્થળોએ જવાનું ટાળો. જો તમને શ્વસન સંબંધી સમસ્યા હોય તો ડોકટરોનો સંપર્ક કરો. શિયાળાની ઋતુમાં નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી જેવા લક્ષણો વિકસે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવામાં આવે તેવું જણાવાયું છે. વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભરત સોલંકીએ આ વાયરસને લઈ તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો સાથેની બેઠકમાં સરકારે આપેલ ગાઈડલાઈનનું પાલન કરવાની તાકીદ કરી હતી. એચએમપીવીના લક્ષણો શું છે?: એચએમપીવીના સામાન્ય લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ અને ઘરારો બોલવો વગેરેનો સમાવેશ થાય છે. આ લક્ષણો અન્ય શ્વસન વાયરસને કારણે થતા ચેપના લક્ષણો જેવા જ છે. ગંભીર કિસ્સાઓમાં, તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા તરફ દોરી શકે છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું કે,હાલમાં જિલ્લાની હોસ્પિટલોમાં એચએમપીવી વાયરસનો એક પણ કેસ નથી.અને આરોગ્ય વિભાગ તેને લઈને સતર્ક છે. હાલમાં આઇસોલેશન વોર્ડ જે હોય છે.તે વોર્ડમાં જ કામગીરી થતી હોય છે.પણ  હાલમાં એચએમપીવી વાયરસને લઈને કોઈ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં નથી આવ્યાં.

સંબંધિત સમાચાર