રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા23 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ

પાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ

કોંગ્રેસ પાસે નેતા, નિયત કે વિઝન નથી:-જગદીશ વિશ્વકર્મા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભાજપી કાર્યકરોનો કલાસ લેતા માસ્તરની ભૂમિકામાં નજરે પડ્યા હતા.

પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં ભાજપની વિકાસ સંકલ્પ સભામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અનોખી ભૂમિકામાં જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોની કાર્યશાળા સમી સભામાં સ્ટેજ પરથી પ્રવચન કરવાને બદલે જગદીશ વિશ્વકર્મા એ ભાજપી કાર્યકરોનો રીતસર નો કલાસ લીધો હતો. તેઓએ કાર્યકરો વચ્ચે જઈ મોદી સરકાર ની યોજનાઓ અંગે સવાલો કર્યા હતા. જોકે, મોટાભાગના કાર્યકરો મોદી સરકારની 10 યોજનાઓથી પણ અજાણ જોવા મળ્યા હતા. 

આ સભામાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે નેતા, નિયત કે વિઝન નથી. જેથી લોકો કોંગ્રેસ છોડીને ભાજપની વિકાસ યાત્રામાં જોડાઈ રહ્યા છે. અગાઉની કોંગ્રેસની સરકારો આંતકવાદી હુમલાઓને માત્ર વખોડી કાઢતી હતી. જ્યારે મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર થકી ત્રણ વખત આંતકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે વિકાસની રાજનીતિ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ક્યાંય કચાશ ન રહી જાય અને પુરા બનાસકાંઠામાં કમળ ખીલવવા પ્રદેશ પ્રમુખે હાકલ કરી હતી. જોકે, જન સમર્થન જોતા બનાસકાંઠા જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વલંત વિજયનો આશાવાદ જિલ્લા ભાજપે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો, પૂર્વ સાંસદો, શહેર/તાલુકા ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

સંબંધિત સમાચાર