હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

ટેગ્સ:#Himmatnagar#burglary#police investigation#Sabarkantha District#Theft Incident#Community Safety#Law Enforcement Response#Crime Report#Property crime#Stolen Ornaments#Religious Trip#Home Security#Family Victimization
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં વેપારીઓની મૌન હડતાળ: અધૂરા વિકાસકામો અને સમસ્યાઓને લઈ દુકાનો રાખી બંધ
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
1 અઠવાડિયા પહેલા
