હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

ટેગ્સ:#Himmatnagar#burglary#police investigation#Sabarkantha District#Theft Incident#Community Safety#Law Enforcement Response#Crime Report#Property crime#Stolen Ornaments#Religious Trip#Home Security#Family Victimization
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
18 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર પાલિકા: મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કરોડોના કામનું ખાતમુહૂર્ત
18 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
2 દિવસ પહેલા
