વરસાદી મોસમ દરમિયાન પ્રાંતિજ–હરસોલ માર્ગ પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના વિવિધ સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા યોગ્ય મટીરીયલનો ઉપયોગ કરી પેચવર્ક કરીને માર્ગને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત, સરળ અને સુગમ બનાવવામાં આવ્યો છે. માર્ગની જાળવણી અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અને સમગ્ર વરસાદી મોસમ દરમિયાન જરૂરી મરામત કામગીરી નિરંતર કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અવરોધમુક્ત અને સલામત મુસાફરીનો લાભ મળી રહે.
પ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર 'હર ઘર તિરંગા' યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
5 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
6 દિવસ પહેલા
