રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા13 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુર રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

પાલનપુર રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો
કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો: ૬૬ ઉમેદવારોને સ્થળ પર નોકરીની ઑફર કરાઇ જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અદાણી સોલાર પ્લાન્ટ, મુન્દ્રા સોલાર પ્રાઇવેટ લિમિટેડ કચ્છ વતી નોકરીદાતા હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ ૬૬ ઉમેદવારોને સ્થળ ઉપર નોકરીની ઑફર આપવામાં આવી હતી. જિલ્લા રોજગાર અધિકારી એમ.જે.પ્રજાપતિ એ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએ ભરતી મેળા સ્થાનિક યુવાનો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. આ પ્રકારના ભરતી મેળા સતત ચાલુ રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર તથા આઈ.ટી.આઈ લાખણીના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સંબંધિત સમાચાર