રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા12 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસામાં બેફામ ટ્રક ચાલકે આઇટેન કારને ટક્કર મારી : પરિવારનો આબાદ બચાવ

ડીસામાં બેફામ ટ્રક ચાલકે આઇટેન કારને ટક્કર મારી : પરિવારનો આબાદ બચાવ

ડીસા ખાતે ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે સાંજના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સાર સોસાયટી ભાગ-2 માં રહેતા અને સોનીકામનો વ્યવસાય કરતા આત્મારામ ચોથાજી સોની (ઉ.વ.54) નામના વ્યક્તિ પોતાની આઇટેન મોડેલની કાર (નંબર: GJ-01-HQ-3465) લઈને પરિવારના સભ્યોને રાજસ્થાનના સાસરી પક્ષમાંથી મૂકી પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે તેઓ રાજમંદિર નજીક એક સગાને ઉતારી ગાયત્રી મંદિર ચાર રસ્તા થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી આત્મારામભાઈની કાર પાછળ આવી રહેલા એક આઇસર ટ્રક (નંબર: MH-15-JW-5907) ના ચાલકે ટ્રકને પૂર ઝડપે અને બેફામ રીતે હંકારી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ટ્રક ચાલકે કારને ડ્રાઇવર સાઇડે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે આઇટેન કારના ડ્રાઇવર સાઇડનો દરવાજો અને આગળના ટાયરને મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદ બંને વાહનો ઘટનાસ્થળે ઊભા રહી ગયા હતા, પરંતુ ટ્રકનો ચાલક ટ્રકમાંથી ઉતરી તુરંત જ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સદ્ભાગ્યે, આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર આત્મારામભાઈ સોની, તેમના પત્ની મોહીનીબેન, માતા મેતીબેન અને અન્ય સંબંધી ટીનાબેન તેમજ બહેન ગીતાબેન સહિત પરિવારના કોઈ પણ સભ્યને શારીરિક ઇજા કે ગંભીર ઈજાઓ થઈ ન હતી. ઇજા ન થવાથી કોઈએ સારવાર પણ લેવી પડી ન હતી. જોકે, અકસ્માત સર્જીને નાસી ગયેલા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આત્મારામભાઈ સોનીએ તેમના સંબંધી સાથે પોલીસનો સંપર્ક સાધી વિસ્તૃત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રકના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર