રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

ધાનેરામાં 32 કરોડના ખર્ચે બનેલી રેલ નદીની સરંક્ષણ દીવાલ તૂટવા લાગી

ધાનેરામાં 32 કરોડના ખર્ચે બનેલી રેલ નદીની સરંક્ષણ દીવાલ તૂટવા લાગી

ધાનેરામાં વર્ષ 2015 અને વર્ષ 2017માં ભારે પૂરના કારણે રેલ નદીના પાણીએ મોટી ખુંવારી સર્જી હતી. આથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા સુધી સંરક્ષણ દીવાલ મંજૂર કરાઈ હતી, પરંતુ ચાલુ ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ આવતાં શહેરની સુરક્ષા માટે બનાવેલ દીવાલના પથ્થર સરકી રહ્યા છે અને દીવાલ ધીરેધીરે તૂટવા લાગતાં સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર છતો થવા લાગ્યો છે.વર્ષ 2015 અને વર્ષ 2017માં પુર હોનારતના કારણે ધાનેરામાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા. આથી ફરીવાર રેલ નદીના પાણી ના આવે તે માટે 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી 8 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દીવાલ મંજૂર કરી હતી.સંરક્ષણ દીવાલ તૂટવા લાગતાં ભ્રષ્ટ્રાચાર બહાર આવી રહ્યો છે દીવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે રેલ નદી નજીક ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને ધાનેરા શહેરીજનો માટે બનેલી પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું છે. રેલ નદીનું વહેણ પ્રોટેક્શન દીવાલ નજીકથી આગળ વધે છે ત્યારે પાયો મજબૂત ના હોવાના કારણે દીવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે.

સંબંધિત સમાચાર