વાવમાં હજારો ભક્તોની હાજરી માં પૂ.આચાર્ય મહા શ્રમણજી નું સ્વાગત કરાયું

ભક્તિ શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમનો મહાસાગર જોવા મળ્યો; ગત રોજ વાવ ખાતે વહેલી સવારે સવારના શુભ મુર્હતમાં વાવ નગરે પૂ આચાર્ય ભગવંત મહા શ્રમણજી નું વાવ નગરે આગમન થતાં તેરપંથ જૈન સમાજ દ્વારા વાજતે ગાજતે સંગીત ના નાદ સાથે અને અબીલ ગુલાલ ની છોળો વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું..પૂ આચાર્ય ના મંગળ પ્રવેશ પસંગે વાવ નગર ને રોશની અને મંડપ થી શણગારી દેવાયો છે. છેક રાજસ્થાન મુંબઈ સુરત થી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. પૂ.આચાર્ય ના મંગળ પ્રવેશ ને લઈ સમગ્ર વાવ નગરમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો મહાસાગરની લહેર જોવા મળી રહી છે. હજારો ભક્તો પૂ.આચાર્યના સેવા કાર્યમાં તલ્લીન થઈ ગયા છે. આજરોજ 14 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પૂ આચાર્ય ના પ્રવચનનો લાભ લેવા હજારો ની જન મેદની ઉમટી પડી હતી. જે પસંગે જૈન સમાજના અગ્રણી મિત્રો રાજકીય અગ્રણી જનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂ આચાર્યની શોભાયાત્રા સમગ્ર વાવ શહેરમાં આકર્ષણ નું કેન્દ્ર બની રહી હતી. જૈન તેરપંથ સમાજ તરફ થી કાર્યકમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જવાબદાર પોલીસ તંત્ર તરફ થી ટ્રાફિક વ્યવસ્થા માટે ભારે સહયોગ મળી રહ્યો છે.
ટેગ્સ:#Surat#rajasthan#Mumbai#Traffic Management#Cultural Celebration#public discourse#Community Service#faith and spirituality#Religious Procession#Pu.Acharya Maha Shramanji#Vav Nagar#Terpanth Jain Community#Devotional Gathering#Jain Community Events#Welcoming Ceremony#Religious Leadership#Devotee Participation#Multicity Attendance#Police Support
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
