રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 એપ્રિલ, 2025| Super Admin

ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે થઈ રહેલા વન વિસ્તારના વિનાશને અટકાવવા માટે ડીસામાં જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પીપલ ફોર એનિમલ્સના સભ્ય કમલેશ દેસાઈ સહિતની ટીમે ડીસા પ્રાંતના એસડીએમને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશભરમાં વિકાસ પ્રોજેક્ટના નામે જંગલોનો નાશ થઈ રહ્યો છે, જે પર્યાવરણ અને વન્ય જીવન માટે અત્યંત ચિંતાજનક છે. વન વિસ્તારો માત્ર વન્ય જીવોને આશ્રય જ નહીં પરંતુ કુદરતી સુંદરતા અને સંતુલન પણ જાળવે છે. જંગલો નદીઓ અને જળ સ્ત્રોતોનું પોષણ કરે છે, જે આપણા જીવન માટે જરૂરી છે. જંગલ નાશની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ.આપણા કુદરતી વારસા, વન્ય જીવન અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. વિકાસની સાથે પ્રકૃતિનું જતન કરવું અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવા વિકલ્પો શોધવા જરૂરી છે. આ બાબતે ધ્યાન આપીને વન વિનાશ રોકવા યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી હતી.

સંબંધિત સમાચાર