રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુરના અલીગઢમાં ગૌચરની જમીન પર જીઆઇડીસી સામે વિરોધ

પાલનપુરના અલીગઢમાં ગૌચરની જમીન પર જીઆઇડીસી સામે વિરોધ
ગ્રામજનોએ ઢોલ વગાડી બેનરો સાથે વિરોધ જતાવ્યો પાલનપુરના અલીગઢ ગામમાં જીઆઇડીસી ગૌચરની જમીનમાં મંજૂર થતા જ વિવાદ સર્જાયો છે. ત્યારે સમગ્ર અલીગઢ ગામના લોકો હાથોમાં બેનર લઈને વિરોધ જતાવ્યો હતો. ગામલોકોનો આક્ષેપ છે કે, પંચાયતે વિશ્વાસમાં લીધા વિના જ ઉદ્યોગો માટે ઠરાવ કરી દીધો છે. પાલનપુર તાલુકાના અલીગઢ ગામમાં વહેલી સવારે ઢોલ વગાડીને આખું ગામ ભેગું કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ ગામ લોકો દૂધ મંડળી આગળ એકઠા થયા હતા. એકઠા થયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ગૌચર પાછું જોઈએ, જીઆઇડીસી હટાવો સહિતના નારાઓ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ગામલોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ગામના ગૌચરની જમીન જીઆઇડીસી માં તબદીલની પ્રક્રિયા એક તરફી કરવામાં આવી હોવાનું ગામલોકો એ જણાવ્યું હતું. ગૌચરની જમીન પર જીઆઇડીસી બનાવાનો ઠરાવ થતા ગામ લોકો જણાવ્યું હતું કે, કેમિકલની ફેક્ટરીઓના પ્રદુષિત ધુમાડો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક બનશે. ત્યારે ગ્રામજનોએ જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારી હતી.  

સંબંધિત સમાચાર