રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા22 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ
18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54 મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 18 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 300 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ ગીરીશભાઈ ઠક્કર પરિવારના ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજી આજે વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કરશે તેવું મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીના મોસાળા સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર