પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ
આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54 મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 18 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 300 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ ગીરીશભાઈ ઠક્કર પરિવારના ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજી આજે વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કરશે તેવું મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીના મોસાળા સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા અનુરોધ કરાયો છે.
ટેગ્સ:#Palanpur#Community Participation#Mota Ramji Temple#Festival Preparations#Rath Yatra#Ashadhi Bij#Lord Jagannath#Prasad Distribution#Religious Tradition#Event Schedule
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
3 દિવસ પહેલા
