રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા22 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ
18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54 મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 18 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 300 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ ગીરીશભાઈ ઠક્કર પરિવારના ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજી આજે વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કરશે તેવું મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીના મોસાળા સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર