પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી નજીક ગતરોજ અગમ્ય કારણોસર અર્ટિગા કારનો ગંભીર અકસ્માત સજૉતા સીધાડા ગામના ચૌધરી દિનેશભાઈ અજાભાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
બનાવની મળતી માહિતી મુજબ સીધાડા ગામના ચૌધરી દિનેશભાઈ અજાભાઈ લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ગામ ફરતા સમયે બામરોલી નજીક તેઓની અર્ટિગા કારનો અગમ્ય કારણોસરગંભીર અકસ્માત સજૉતા ચૌધરી દિનેશભાઈ અજાભાઈનું ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો આ અકસ્માતના પગલે ધટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. અને મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકની કાલિમા સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અકસ્માત કયાં કારણોસર થયો હતો તે હજુ જાણી શકાયું નથી.





