રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ13 જૂન, 2026| Super Admin

પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર

પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી: કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટર

અસહ્ય દુર્ગંધના કારણે  રહીશોમાં ફેલાવાની ભીતિ  સાથે પાલિકા તંત્ર સામે રોષ

ચોમાસા પૂર્વે તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટેની માંગ

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ છે. માગૅ પર રેલાતા દૂષિત પાણીની દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ  સાથે પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વિસ્તારના કોર્પોરેટરો સ્થળ મુલાકાતે આવી સ્થિતિની જાણકારી લઈ ફોટોગ્રાફી તો કરે છે, પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી તેવી ફરિયાદ રહીશોએ વ્યક્ત કરી છે. રહીશોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સાથે પણ બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટોર્મ વોટર લાઈનો, ગટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં નિરાશા ફેલાઈ છે.

ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી સોસાયટીના રહીશો વધુ ચિંતિત બન્યા છે. જો ભારે વરસાદ દરમિયાન સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરો સાફ નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું ફર્નિચર અને ઘરવખરીને નુકસાન થવાની પણ શક્યતા છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ગટર લાઈનો, સ્ટોર્મ વોટર લાઈનો અને ચેમ્બરોની સફાઈ હાથ ધરી ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે. સાથે જ ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી પૂર્ણ કરી વિસ્તારને સંભવિત જળબંબાકાર જેવી સ્થિતિમાંથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર