સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને ફસાવવાના કાવતરા અને ષડ્યંત્રનો વિરોધ પ્રદશિર્ત કરાયો
સમસ્ત પાટણ શહેર આદિવાસી - ભીલ સમાજનાં આગેવાનો અને યુવાનો દ્વારા ગુજરાત આદિવાસી સમાજ સહિત ગુજરાતની પ્રજાના પ્રશ્નો અંગે જાગૃતતા ફેલાવનારા એવા આદિવાસી સમાજના ક્રાંતિકારી નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં રેલી યોજી પાટણ જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.





