રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 ઑગસ્ટ, 2025| Super Admin

આરામ, ભોજન અને સુરક્ષા માટે ભાદરવી પૂનમના મેળામાં પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ...!

આરામ, ભોજન અને સુરક્ષા માટે ભાદરવી પૂનમના મેળામાં પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ...!
ધોરી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કેમ્પની મુલાકાત લીધી આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને ડીસાના સેવાભાવી, દાનવીર અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન.માળી દ્વારા વડગામ તાલુકાના ધોરી ગામ ખાતે સેવા કેમ્પની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે માતાજીના લાખો ભક્તો માટે આધુનિક સુવિધાઓ સાથે એક વિશાળ ડોમમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ સેવા કેમ્પના સ્થળની મુલાકાત લીધી હતી અને પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગયા વર્ષે યોજાયેલા સેવાકીય કેમ્પોમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ ભોજન, આરામ અને અન્ય સુવિધાઓનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ વર્ષે પણ, પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ભક્તોની સુવિધા માટે ભવ્ય અને અલૌકિક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ધાર કરાયો છે. ભક્તોને શક્તિ અને સલામતીનો અનુભવ કરાવવા માટે આ કેમ્પમાં ભોજન, મેડિકલ સેવાઓ, આરામની વ્યવસ્થા, અને સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. આ તૈયારીઓ દર્શાવે છે કે આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર