હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં અસહ્ય ભીડને કારણે 15થી વધુ મુસાફરોએ તેમની ટિકિટ પરત કરવી પડી હતી. અસારવાથી જયપુર, ઉદેપુર અને ઇન્દોર જતી નિયમિત ટ્રેનો દરરોજ ચાલી રહી છે. રાત્રે 9:20 કલાકે હિંમતનગર પહોંચતી અસારવા-જયપુર ટ્રેનમાં માત્ર ચાર જનરલ કોચ છે. બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં જોડવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કોચમાં મુસાફરો માત્ર બેસીને જ નહીં, પરંતુ ઊભા રહીને અને દરવાજામાં લટકીને પણ મુસાફરી કરી રહ્યા છે. જોકે, ભીડને કારણે મોટાભાગના મુસાફરો ટ્રેનમાં પ્રવેશી શક્યા નહીં. જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા તેઓ જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટિકિટ ધરાવતા છતાં ટ્રેનમાં ન બેસી શકેલા મુસાફરોએ ટિકિટ પરત કરી અને બસ મારફતે રાજસ્થાન જવાનું પસંદ કર્યું. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવી જોઈએ અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના જનરલ કોચ ઉમેરવા જોઈએ તેવી માંગ ઊઠી છે.
હોળી તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન મુસાફરોની સંખ્યામાં વધારો

ટેગ્સ:#crowd management#safety concerns#Holi Festival#Passenger Travel#Gujarat to Rajasthan#Train Services#Asarwa-Jaipur Train#Railway Issues#Travel Demand#Public Transport#Ticket Refunds#Special Train Requests#General Coaches
સંબંધિત સમાચાર
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅષાઢી માહોલ વચ્ચે કમોસમી આફત: સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ, હિંમતનગર અને વડાલીમાં પણ છાંટા પડ્યા
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડરમાં કોંગ્રેસના આક્રમક તેવર: સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની માંગ
4 દિવસ પહેલા
સાબરકાંઠાબંગાળમાં 'કમળ' ખીલતા હિંમતનગરમાં વિજયોત્સવ: ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી
6 દિવસ પહેલા
