રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 જૂન, 2025| Super Admin

ડીસાની સોમનાથ સોસાયટીમાં નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ

ડીસાની સોમનાથ સોસાયટીમાં નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ
સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરસેવકોનું સન્માન; ઘણા વર્ષોની પ્રતીક્ષા અને અનેક રજૂઆતો બાદ ડીસાની સોમનાથ સોસાયટીના રહીશો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સોસાયટીના પ્રવેશદ્વાર પર ભૂગર્ભ ગટર સુવિધા સાથેનો સી.સી.રોડ (કોંક્રિટ રોડ) બનીને તૈયાર થઈ ગયો છે. આ રોડના નિર્માણથી સ્થાનિક રહીશોની લાંબા સમયની સમસ્યાનો અંત આવ્યો છે. આ રોડના નિર્માણ પાછળ સ્થાનિક નગરસેવકો વિજયભાઈ દવે અને શ્રીમતી નીલાબેન મોતીભાઈ પ્રજાપતિની સતત જાગૃતિ અને અથાગ પ્રયાસો રહ્યા છે. તેમની વારંવારની રજૂઆતો અને ફોલોઅપને કારણે જ આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય બન્યું છે.રોડ નિર્માણની આ ખુશીની ઉજવણી રૂપે, સોમનાથ સોસાયટીના સ્થાનિક આગેવાનો અને રહીશો દ્વારા નગરસેવક વિજયભાઈ દવે અને કાઉન્સિલર શ્રીમતી નીલાબેન મોતીભાઈ પ્રજાપતિનું ઉષ્માભેર સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ કોર્પોરેટરોની જાગૃતિ અને લોકહિતના કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ લાગણીસભર પારિવારિક લાગણીઓ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, આ રોડનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને તેમના સ્ટાફનો પણ ગુણવત્તાયુક્ત કામગીરી બદલ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દરેક નગરસેવક પણ આવી જાગૃતિ દાખવીને લોક સુખાકારીના કાર્યોમાં અગ્રેસર રહે તેવી આશા અને લાગણી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર