વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ભીલડી પંથકમાં કુદરતનો પ્રકોપ : વહેલી પરોઢે ફૂંકાયેલા તેજ પવનથી વ્યાપક તારાજી સર્જાઇ

વાવાઝોડાના કારણે ઉભા પાક નુકસાન,વીજપોલ ધરાશાયી થતાં વિજળી પણ ડુલ
ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી
ઘઉં અને એરંડા સહિતના પાકોને ભારે નુકસાન,ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ભીલડી પંથકમાં ગુરુવારની વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતવર્ગમાં ચિંતાનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ ભારે પવન અને વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવા પામ્યા હતા. તેમજ ઘરના પતરા ઉડી ગયા હતા. સાથે સાથે વીજ થાંભલા ધરાશાયી થતા અનેક ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાના કારણે ખેતી ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને ઘઉં અને એરંડા જેવા પાકોને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બીજી તરફ ભીલડી વીજ કંપની દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને નુકસાનગ્રસ્ત વીજ થાંભલા ઉભા કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના બાદરગઢ ગ્રામસભાનો મોટો નિર્ણય: 1 સપ્ટેમ્બરથી દારૂ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઇવે વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરી: ચાંદીના મુગટ અને છત્ર ચોરાયા
1 દિવસ પહેલા
