બનાસકાંઠાના તેનીવાડા (પાલનપુર-સિદ્ધપુર હાઈવે) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ'નું ભૂમિપૂજન કર્યું હતું. જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પસ આશરે ₹450 કરોડના ખર્ચે નિર્માણ પામશે.આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. 'વિકાસની સાથે વિરાસત'ના અભિગમથી રાષ્ટ્ર નિર્માણને નવી દિશા મળી છે. તેમણે દેશના છેવાડાના માનવી સુધી વીજળી, પીવાનું પાણી, માર્ગો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પહોંચાડી વિકાસને સર્વસમાવેશક બનાવ્યો છે.
આરોગ્ય ક્ષેત્રે પણ ડૉક્ટરોની સંખ્યા વધારવા માટે મેડિકલ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અગાઉ દર વર્ષે આશરે 1175 ડૉક્ટરો તૈયાર થતા હતા, જ્યારે આજે લગભગ 7000 નવા ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવતને ટાંકીને આવા આરોગ્ય પ્રકલ્પોને માનવસેવાનું ઉત્તમ કેન્દ્ર ગણાવ્યા હતા.તેમણે પાણી બચાવ અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને પણ પ્રાથમિકતા આપવાની વાત કરી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાખો પરિવારોને ₹10 લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ મળ્યું છે. વડાપ્રધાનના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને આગળ વધારતી આ પહેલ 'વિકસિત ગુજરાત'ના લક્ષ્ય સાથે 'વિકસિત ભારત-2047'ના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં મેડીવંતા હેલ્થ કેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું
મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં મેડીવંતા હેલ્થ કેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતભાભરના અસાણા ગામે બોલાચાલી બાદ વૃદ્ધ પર હુમલો
1 કલાક પહેલા
ઉત્તર ગુજરાતરાજપુરા-દુધવા રોડની દયનીય સ્થિતિ, ગ્રામજનો મુશ્કેલીમાં
7 કલાક પહેલા
ઉત્તર ગુજરાતસોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત
7 કલાક પહેલા
ઉત્તર ગુજરાતબનાસકાંઠા પોલીસે અમદાવાદમાંથી અપહૃત 5 વર્ષની બાળકીને છોડાવી
8 કલાક પહેલા
