રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા6 ઑક્ટોબર, 2025| Super Admin

હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

હિંમતનગરના મોતીપુરામાં રવિવારે સાંજે એક એક્ટિવા સ્લીપ થતાં 52 વર્ષીય આધેડ રોડ પર પટકાયા હતા. નજીકમાં ગુનાનું પંચનામું કરી રહેલા પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટના મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પુલ નીચે બની હતી. એક્ટિવા ચાલક પટકાયા બાદ તેમના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક રીક્ષા મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ગાંધી સંસ્કાર આશ્રમમાં રહેતા પરાગભાઈ દાનાભાઈ પરમાર તરીકે થઈ છે. સમયસર સારવાર મળવાને કારણે તેમનો બચાવ થયો છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.    

સંબંધિત સમાચાર