હિંમતનગરના મોતીપુરામાં રવિવારે સાંજે એક એક્ટિવા સ્લીપ થતાં 52 વર્ષીય આધેડ રોડ પર પટકાયા હતા. નજીકમાં ગુનાનું પંચનામું કરી રહેલા પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટના મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પુલ નીચે બની હતી. એક્ટિવા ચાલક પટકાયા બાદ તેમના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક રીક્ષા મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ગાંધી સંસ્કાર આશ્રમમાં રહેતા પરાગભાઈ દાનાભાઈ પરમાર તરીકે થઈ છે. સમયસર સારવાર મળવાને કારણે તેમનો બચાવ થયો છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી: પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 અઠવાડિયા પહેલા
