રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા23 માર્ચ, 2025| Super Admin

પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ

પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રૂપ દ્વારા પક્ષીઓ ના પાણીના કુંડાનું વિતરણ
1500 પાણીના કુંડા-ચકલી ઘરનું કરાયું વિતરણ; કાળઝાળ ગરમી પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી માટે ના કુંડા અને પક્ષી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગૃપ દ્વારા ઉનાળાના ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે 1500 જેટલા પીવાના પાણીના કુંડાનું અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડીવાયાએસપી ડો.જીગ્નેશ ગામીત, પી.આઈ.પટણી, સામાજિક કાર્યકર એવમ પાલનપુર શહેર ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઇ પંચાલે ઉપસ્થિત રહી કુંડા અને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જિલ્લાભરમાં 10,000 પક્ષીઓ ના પીવા માટેના પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાશે. જેનો પ્રારંભ પાલનપુરથી કરાયો હોવાનું મહારાણા પ્રતાપ સેવા ગૃપના અગ્રણી ભૂપતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર