રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સરોવર ભરાતા સ્થાનિકોમાં રોષ

પાલનપુરના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સરોવર ભરાતા સ્થાનિકોમાં રોષ
મહિલાઓ દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકામાં ઉગ્ર રજૂઆત; પાલનપુરમા માનસરોવર તળાવમાં જતુ શહેરનું ગંદુ પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઈની વાડીમાં ભરાઈ રહેતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા લોકો રોષે ભરાયા છે. આ રહેણાંક વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી હોઇ સ્થાનિક મહિલાઓ પાલિકામાં દોડી આવી પ્રમુખને રજૂઆત કરી પંદર દિવસમાં પાણીનો નિકાલ કરવા અલ્ટીમેટમ અપાયું હતું અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી. પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં અગાઉ ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતુ હતુ.જ્યા હાલ વિકાસનું કામ ચાલી રહ્યું હોઇ ગટરનું પાણી બંધ કરાયું હતું. જેને લઇ આ દૂષિત પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જામબાઇની વાડીમાં ભરાતા અહી ગંદા પાણીનું સરોવર ભરાતા ચારેય તરફ ગંદકીથી દુર્ગધ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે પાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ નગરપાલિકામાં દોડી આવી હતી અને પાલિકા પ્રમુખને ગંદા પાણીનો નિકાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી અને પંદર દિવસમાં પાણીનો નિકાલ નહી કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

સંબંધિત સમાચાર