રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

સ્વ વિજય રૂપાણીના પુત્રએ અંબાજી મંદિરે દર્શન કર્યા; પરિવાર સાથે પ્રાર્થના કરી

સ્વ વિજય રૂપાણીના પુત્રએ અંબાજી મંદિરે દર્શન કર્યા; પરિવાર સાથે પ્રાર્થના કરી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પોતાના પત્ની અને પુત્રી સાથે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ મંદિરની સાંજની આરતીમાં જોડાયા હતા. આ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદારે તેમની સાથે મુલાકાત કરી હતી. મંદિરના મહારાજે તેમને આશીર્વાદ આપ્યા હતા અને ચૂંદડી પણ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્વ. વિજય રૂપાણી પણ વર્ષોથી અંબાજી માતાજીના દર્શન કરવા આવતા હતા. ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, 12 જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમના પિતા વિજય રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે પરિવાર સાથે પ્રાર્થના કરી છે. સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 270 લોકોની આત્મશાંતિ માટે પણ પ્રાર્થના કરી છે. તેમણે બધા પરિવારોનું કલ્યાણ થાય અને ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે આવી દુર્ઘટના કોઈની સાથે ન થાય તેવી પણ માતાજી પાસે પ્રાર્થના કરી હતી.

સંબંધિત સમાચાર