રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરાઈ

પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરાઈ

પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં જન્માષ્ટમી નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આનંદ અને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરતી, પ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોની ટીમે માટલી ફોડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીતો, ભજન, રાસ-ગરબા અને એકલ નૃત્ય વગેરેમાં ભાગ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અને કાર્યક્રમ સફળ બન્યો હતો. "ગોવિંદા આલા રે આલા, મધુવન મેં જો કનૈયા કિસી ગોપી સે મિલે.. રાધા કૈસે ના જલે.. રાધા કૈસે ના જલે..." ગીત અને નારાથી કોલેજનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલે જન્માષ્ટમી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. ઋષિકેશ રાવલે શ્રી કૃષ્ણ વિશે સુંદર પરિચય આપ્યો હતો. કોલેજ પરિવારના સહયોગથી જન્માષ્ટમી ઉત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર