કર્ણાટકના હાસનમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મોસાલે હોસાહલ્લી ગામમાં રાત્રે લગભગ 8.45 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગના નાના છોકરાઓ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટ્રક અરકલગુડુથી આવી રહી હતી. સરઘસ નજીક પહોંચતાની સાથે જ ટ્રકે કાબુ ગુમાવ્યો અને ભીડ પર ચડી ગઈ, લોકો ટ્રકના પૈડા નીચે આવી ગયા. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, "મને ખૂબ જ દુઃખ છે કે ગણપતિ શોભાયાત્રામાં સામેલ લોકો પર ટ્રક ચઢી જતાં ભક્તોએ જીવ ગુમાવ્યા. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેમણે તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી."
કર્ણાટક; ગણેશ વિસર્જન દરમિયાન ભીડ પર ટ્રક ફરી વળ્યું 9 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ

ટેગ્સ:#public safety#Emergency Response#Festival Safety#Youth Casualties#Truck Crash#Brake Failure#Ganesh Visarjan Tragedy#Hassan District#Mosale Hosahalli#Karnataka Accident#Procession Fatalities#Devotee Deaths#Crowd Accident#Road Negligence
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયજંતર-મંતર પર ૩૬ દિવસના આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયતરતી કાર, ડૂબી ગયેલા ઘરો અને દુકાનો, હેલિકોપ્ટર દ્વારા બચાવ; ગુજરાતમાં મુશળધાર વરસાદના ભયાનક દ્રશ્યો
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયકર્ણાટક અને આંધ્રપ્રદેશને કેબિનેટની ભેટ! બલ્લારી અને ગુંટકલ વચ્ચે નવી ડબલ રેલ લાઇન નાખવામાં આવશે, ₹1,264 કરોડનો પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયનાગપુર સેન્ટ્રલ જેલમાં એક કોન્સ્ટેબલને હશીશ, માદક દ્રવ્યોની ગોળીઓ અને પાંચ સર્જિકલ બ્લેડ સાથે પકડાયો
2 દિવસ પહેલા
