કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ સહિતના પાકો ઊગી ગયા છે. જેથી પાકોમાં મોટા પ્રમાણમાં પાકો નિષ્ફળ થયા છે. અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયો છે તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી.એમ.પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી
2 દિવસ પહેલા
