કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ સહિતના પાકો ઊગી ગયા છે. જેથી પાકોમાં મોટા પ્રમાણમાં પાકો નિષ્ફળ થયા છે. અને અત્યારે ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયો છે તો સરકાર દ્વારા સત્વરે સહાય મળે તે માટે કાંકરેજ મામલતદાર વી.એમ.પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં ભારતીય કિસાન સંઘ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ તળજાભાઈ દેસાઈ તેમજ કિસાન સંઘના હોદેદારો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ચત્રાલા નજીક ખેતરમાં જીવંત વીજ વાયર તૂટતાં આગ ભભૂકી
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પાલિકાની કડક કાર્યવાહી: હરિઓમ સ્કૂલ પાછળ ગેરકાયદેસર દબાણ હટાવાયું
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગરમીથી રાહત: બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કેમ્પ યોજાયો
3 દિવસ પહેલા
