સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો છે. આ નિરીક્ષણ માટે PCEE સહિતના અધિકારીઓ 'પરખ ઇન્સ્પેક્શન' કારમાં રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે 10:30 કલાકે PCEE રજનીશકુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે અસારવાથી 'પરખ ઇન્સ્પેક્શન' કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આ ઇન્સ્પેક્શન કાર ઇડર થઈને બપોર સુધીમાં ખેડબ્રહ્મા પહોંચશે. સાંજે ખેડબ્રહ્માથી હિંમતનગર સુધી ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે.
હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણનો પ્રારંભ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસ્વચ્છતા અભિયાન: સાબરકાંઠાના કલેક્ટરે ઇલોલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ૧૫ પશુ એમ્બ્યુલન્સ દ્વારા 'મસ્ટાઇટીસ' રોગ અંગે પશુપાલકોને જાગૃત કરાયા
5 દિવસ પહેલા
