હિંમતનગરની કોર્ટે રીક્ષામાં મુસાફરને લૂંટનાર બે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં સંજયભાઈ કાગસીયા અને વિષ્ણાબેન ઉર્ફે તારાબેન ખેરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 18 મહિના પહેલાં બનેલી આ ઘટનામાં આરોપીઓએ ઇડરથી હારૂનભાઈ લુહાર નામના મુસાફરને રીક્ષામાં બેસાડ્યા હતા. આરોપીઓએ મુસાફરને શોર્ટકટનું બહાનું બતાવી વકતાપુરથી કનાઈ ગામ તરફ લઈ ગયા હતા. રસ્તામાં અંધારામાં રીક્ષા ઊભી રાખી, મુસાફરને ઉતારી સંજયભાઈએ તેમની આંખોમાં મરચાની ભૂકી નાખી હતી. ત્યારબાદ વિષ્ણાબેને મુસાફરના ખિસ્સામાંથી રૂ. 2,700 રોકડા, મોબાઈલ અને ટિફિન બોક્સ લૂંટી લીધા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર. રબારીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ જયદીપસિંહ જેતાવતની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે બંને આરોપીઓને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. 500નો દંડ ફટકાર્યો છે.
હીમતનગર કોર્ટે મુસાફરને લૂટનાર બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ
1 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
3 દિવસ પહેલા
