રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા26 ઑગસ્ટ, 2026| Super Admin

સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

પ્રાંતિજમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો; પર્યાવરણ અને યોગના સમન્વય પર ભાર અપાયો

સાબરકાંઠા જિલ્લામાં  ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકાના વદરાડના ઉમિયાધામ ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

રાજ્ય યોગ બોર્ડના ચેરમેન  શિશપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજવું અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું સમયની આવશ્યકતા છે. વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવાની સાથે જળસંચય, શુદ્ધ હવા અને માનવજીવનના સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે પર્યાવરણ અને જળ સંરક્ષણ સાથે યોગના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ બંને જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વૃક્ષ, પર્યાવરણ, જળ અને યોગને મહત્વ આપીને સ્વસ્થ અને સુખી સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે “એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ”નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી પણ આપણે સૌએ સ્વીકારવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવીને તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળો બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર