જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે જિલ્લાના અલગ અલગ વિભાગો ના કર્મચારીઓએ કેન્ડલ માર્ચ સાથે યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ 1500 જેટલા કર્મચારી ઓ એ જમ્મુ કાશ્મીર હુમલાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાલનપુરમાં 500થી વધુ કર્મચારી ઓ એ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેએ જણાવ્યું હતું. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકીઓ સામે સરકાર કડક માં કડક કાર્યવાહી કરે તેવી માંગ સરકારી કર્મચારીઓએ કરી હતી. તલાટી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો આ કેન્ડલ માર્ચ માં જોડાયા હોવાનું ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું. સરકારી આતંકી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સરકારે કડક પગલાં લેવા જોઈએ. કર્મચારીઓ સરકારના સાથે હોવાનું જિલ્લા તલાટી મહા મંડળના પ્રમુખ મહેશભાઈ ડેલએ કરી હતી.
પાલનપુરમાં સરકારી કર્મચારી ઓએ યોજી કેન્ડલ માર્ચ; આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

ટેગ્સ:#Banaskantha District#Public Demonstration#Peaceful Protest#Government Employees#Community Solidarity#Pahalgam Incident#Candle March#National Grief#Terrorist Attack Tribute#Employee Organizations#District Primary Teachers' Union#Anger Against Terrorism#Call for Government Action#Health Workers' Mandal#Talati Mandal#Cowardly Attack
સંબંધિત સમાચાર
બનાસકાંઠાગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન
19 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ
20 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
1 દિવસ પહેલા
