થરાદ નજીક દેવપુરા પાસે કાર કેનાલમાં ખાબકતાં ચારનાં મોત

પાલિકાની ફાયર ટીમે દોડી આવીને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા; થરાદ નજીક દેવપુરા પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જો કે કારમાં પાંચ વ્યક્તિ પૈકી મહિલાની ભાળ નહી મળતાં પાલિકાની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃતક કાર ચાલકના પાસેથી મળી આવેલા મોબાઇલ અને વિજ બિલના આધારે તેમની ઓળખ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કેનાલ પર બહોળી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થવા પામ્યાં હતા.કારમાંથી એક પછી એક મૃતદેહ બહાર કાઢવામાં આવતાં વાતાવરણમાં ઘેરા શોકની લાગણી પ્રસરવા પામી હતી. મૃતક એક જ પરિવાર હોવાનું પ્રાથમિક દષ્ટીએ જણાઇ રહ્યું છે.
ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકો પાસેથી પ્રાપ્યા માહિતી મુજબ બ્રેઝા કાર ભાભરથી થરાદ તરફ આવી રહી હતી. જેમાં થરાદના કિયાલ ગામનો પરિવાર બેઠેલ હતો. આ બનાવની જાણ થતાં વાવ અને થરાદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે.અક્સ્માત કઇ રીતે સર્જાયો તેના વિશે હજુ કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. થરાદની મુખ્ય કેનાલમાં કાર ખાબકતાં થરાદ તાલુકાના કીયાલ ગામના એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકોના મોત થયા છે. જો કે મહિલાનો મૃતદેહ હજુ મળ્યો નથી.
ટેગ્સ:#Banaskantha#tharad#Car accident#fatalities#Narmada canal#Search Operation#Missing Person#Police Response#Family Tragedy#Accident Investigation#Devpura#Municipal Fire Team#Kiyal Village#Brezza Car#Child Casualties
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા RTOની કડક કાર્યવાહી: બે દિવસમાં 300 ચલણ ફાટ્યા અને 26 વાહનો ડીટેઈન
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં તંત્રની મોટી કાર્યવાહી: સુરક્ષાના નિયમોના ભંગ બદલ સુરમંદિર થિયેટર સીલ
3 દિવસ પહેલા
