રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા23 જૂન, 2025| Super Admin

પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર દુધાળા પશુઓના મોત

પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર દુધાળા પશુઓના મોત
પશુઓના આકસ્મિક મોતથી પરિવારની આજીવિકા છીનવાઈ; પાલનપુર તાલુકાના ગોળા ગામે રાત્રી દરમિયાન ભારે વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડતાં એક પશુ પાલકના ચાર દુધાળા પશુના મોત થયા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું છે પશુ પાલન કરીને પરીવારનું ગુજરાન ચલાવતા આ પશુપાલકોની આજીવિકા છીનવાઈ જતા તેને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર પંથકમા રાત્રી દરમિયાન ભારે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં ગોળા ગામે પશુ પાલનનો વ્યવસાય કરતા પશુ પાલક પરથીજી મોતીજી ઠાકોરના ખેતરમાં બાંધેલ ચાર દુધાળી ગાયો પર આકાશી વીજળી પડતાં આ ચાર પશુઓના મોત નીપજ્યા હતા જોકે પશુઓના મોતથી આ પરિવારે બે લાખ ઉપરાંતનું નુકશાન થવાની સાથે આજીવિકા છીનવાઈ જવાનો લઇ પરિવાર કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા છે જેને લઇ આ અસરગ્રસ્ત પશુ પાલકને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવતા તલાટી દ્વારા ઘટનાનું પંચનામુ કરી વેટરનરી તબીબ અને મૃત પશુઓનું પીએમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર