રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા6 મે, 2026| Super Admin

કાગળ પર ‘ભોજન’ અને ગજવામાં ‘રોકડ’! મહેસાણાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના નામે ઉઘાડી લૂંટ

કાગળ પર ‘ભોજન’ અને ગજવામાં ‘રોકડ’! મહેસાણાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના નામે ઉઘાડી લૂંટ

વિજાપુર તાલુકાની ૧૧ શાળાઓને મામલતદારે નોટિસ આપી હતી

સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી 'મધ્યાહન ભોજન યોજના' ચલાવવામાં આવે છે. પરંતુ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આ યોજનાના અમલીકરણમાં મોટી બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ગેરરીતિ જણાતા વિજાપુર તાલુકાની ૧૧ જેટલી પ્રાથમિક શાળાઓને કડક નોટિસ ફટકારવામાં આવી હતી. જેનો ખુલાસો થતાં મધ્યાહન ભોજનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સંબંધિત અધિકારીઓ દ્વારા વિજાપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બાળકોની વાસ્તવિક હાજરી અને કાગળ પર નોંધાયેલી હાજરીમાં તફાવત જવાબદાર કારણ ઠેરવી આ ગંભીર બેદરકારીને પગલે, તંત્ર દ્વારા ૧૧ શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ પાઠવીને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આ શાળાઓ દ્વારા સંતોષકારક ખુલાસો આપવામાં નહીં આવે, તો જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્રની આ લાલ આંખથી વિજાપુર તાલુકાના અન્ય મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી એ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે કે સરકારી યોજનાનો લાભ તેના સાચા હકદાર એટલે કે શાળાના બાળકો સુધી યોગ્ય ગુણવત્તા સાથે પહોંચે.

પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી બતાવીને આચરવામાં આવેલા કૌભાંડ મામલે વિજાપુર મામલતદારે એક મહિના પૂર્વે ૬ શાળાઓના મધ્યાહન ભોજનના સંચાલકોને નોટિસ આપી હતી. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળામાં ભોજન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધારે સંખ્યા બતાવી સુવ્યવસ્થિત રીતે શાળા સંચાલકો દ્વારા ચલાવાતાં કૌભાંડ મામલે બે મહિના પૂર્વે વિજાપુર મામલતદારે ૧૧ શાળાના આચાર્યોને નોટિસ આપી હતી. જેમાં તેમણે મામલતદાર સમક્ષ જે-તે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની વર્ધી બુક અને પીએમપી પોર્ટલ મોબાઇલ એપ્લિકેશન પર વર્ગ શિક્ષક દ્વારા અપલોડ કરાતી વિદ્યાર્થીઓની સંખ્યાના પત્રકો રજૂ કરાયા હતા. જેમાં ૬ પ્રાથમિક શાળામાં ભોજન લેતા બાળકોની સંખ્યા વધુ દર્શાવાઇ હોવાનું બહાર આવ્યું હતું.

ટેગ્સ:#Mamlatdar#Mehsana City

સંબંધિત સમાચાર