કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની એક એકર જમીનમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલ હતી. જેમાં કોઇ કારણો સર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમા પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. રવિવારના રોજ સાંજે આશરે 6:30 કલાકે આજુબાજુ શેરડીના તૈયાર થયેલ પાકમા અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી.જેમાં તૈયાર થયેલ શેરડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેની જાણ ખેડૂતને થતા દિલિપભાઈ બારોટે ખેતરમા આવી આગ બુઝાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયકંર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમા ફેલાઈ ગઇ હતી.જેમાં શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી હોઈ આગ સમગ્ર એક એકર ખેતરમા ફેલાઈ જતા પાક બળી ગયો હતો. જેમાં આગ બુઝવવા માટે કોઇ સાધન સામગ્રી ના હોવાથી ખેડૂતને 2.50 લાખનુ નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આગ હળવી થતા બાજુમા ઉભેલા મગના પાકને નુકશાન થયું નહતું.
રાનેર ગામે શેરડીના ખેતરમાં આગ ભભૂકી : અંદાજે 2.50 લાખનું નુકસાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
17 કલાક પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
18 કલાક પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
19 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
19 કલાક પહેલા
