કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની એક એકર જમીનમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલ હતી. જેમાં કોઇ કારણો સર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો. રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમા પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. રવિવારના રોજ સાંજે આશરે 6:30 કલાકે આજુબાજુ શેરડીના તૈયાર થયેલ પાકમા અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી.જેમાં તૈયાર થયેલ શેરડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેની જાણ ખેડૂતને થતા દિલિપભાઈ બારોટે ખેતરમા આવી આગ બુઝાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયકંર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમા ફેલાઈ ગઇ હતી.જેમાં શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી હોઈ આગ સમગ્ર એક એકર ખેતરમા ફેલાઈ જતા પાક બળી ગયો હતો. જેમાં આગ બુઝવવા માટે કોઇ સાધન સામગ્રી ના હોવાથી ખેડૂતને 2.50 લાખનુ નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આગ હળવી થતા બાજુમા ઉભેલા મગના પાકને નુકશાન થયું નહતું.
રાનેર ગામે શેરડીના ખેતરમાં આગ ભભૂકી : અંદાજે 2.50 લાખનું નુકસાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
