રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
પાટણ12 મે, 2025| Super Admin

પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પૂર્વે જ વાહન ચાલકો એ અવર-જવર શરૂ કરી દીધી

પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પૂર્વે જ વાહન ચાલકો એ અવર-જવર શરૂ કરી દીધી
ઓવરબ્રિજ પરથી વાહનોની અવર-જવર થતી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાટણ શહેરના રાજમહેલ રોડ થી કોલેજ રોડ તરફ જવાના માર્ગ પર સજૉતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા સરકારી તંત્ર દ્વારા કરોડો ના ખર્ચે નિર્માણ પામેલા ટી આકારના ઓવર બ્રીજ નું શેઠ કિલાચંદ નામકરણ કરવામાં આવે તે પૂર્વે અને ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પહેલા જ સોમવારે પાટણ ના ઉતાવળિયા પ્રજાજનોએ આ ઓવર બ્રીજ પરથી પોતાના વાહનો દોડાવી ઓવરબ્રિજ નો ઉપયોગ શરૂ કરી દીધો હોવાના સોમવારે સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થતા સરકારી તંત્ર સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અચંબિત બન્યાં હતાં. પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું હજું કલરકામ સહિત પરચુરણ કામ બાકી છે. ત્યારે સોમવારે આ ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો નો સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં અન્ય લોકો પણ આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હોવાનું જાણી આ નવીન ઓવરબ્રિજ ના માગૅ પર પોતાના વાહનો સાથે પસાર થતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ ઓવરબ્રિજ ના ઉદઘાટન પહેલા જ નિયમિત પણે ઓવરબ્રિજ પર વાહનોની અવર જવર ચાલુ રાખવામાં આવશે કે પછી આ ઓવરબ્રિજ નું નામકરણ કરી તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજ લોકો માટે વિધિ વત રીતે ખૂલ્લો મુકવામાં આવશે.

સંબંધિત સમાચાર