બે દિવસની સારવાર બાદ પણ બાળક બચી ના શક્યો : સમીનું વધુ એક બાળક સારવાર હેઠળ
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના પાંચ વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બે દિવસથી સારવાર ચાલી રહી હતી.ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ સુધીમાં ગમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકના મોત થયા છે. મળતી માહિતી મુજબ, સાણોદરડા ગામના પાંચ વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું. 
આ પૈકી સાણોદરડાના દર્દીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેનું અવસાન થયું છે; જ્યારે તારોરા ગામના દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં હાલ સુધારો આવી રહ્યો છે.‘સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી.મુખ્યત્વે જૂના કાચા ઘરોમાં રહેતી ‘સેન્ડફ્લાય’ માખી દ્વારા નાના બાળકોમાં ફેલાતા આ વાયરસના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો અને બેચેનીનો સમાવેશ થાય છે.આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અટકાયતી પગલાં ભરતાં ગાઇડલાઇન મુજબ સંક્રમિત વિસ્તારોના 50 ઘરની આજુબાજુ ડસ્ટિંગ, સ્પ્રે અને સઘન સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને ગભરાયા વિના બાળકોમાં આવાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નિદાન અને સારવાર કરાવવા અપીલ કરવામાં આવી છે.





