હિંમતનગરની એક રેસિડેન્શિયલ સોસાયટીમાં વીજ મીટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે મીટરમાંથી અચાનક ધુમાડા અને આગની લ્હોરો નીકળવા લાગી હતી, જેને જોઈને સ્થાનિક રહીશોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ની ટીમને જાણ કરવામાં આવી હતી. UGVCLના કર્મચારીઓએ અદ્ભુત સમયસૂચકતા અને સતર્કતા દાખવીને તાત્કાલિક અસરથી તે વિસ્તારનો વીજ પ્રવાહ (પાવર સપ્લાય) બંધ કરી દીધો હતો.
વીજ પ્રવાહ બંધ થતાં જ આગ વધુ ફેલાતી અટકી ગઈ હતી અને સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે સોસાયટીવાસીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. UGVCLની સમયસૂચકતાથી એક મોટી હોનારત ટળી ગઈ હતી.





