જમ્મુ અને કાશ્મીરના પહેલગામ પાસે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજીને આતંકવાદનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની ઓળખ પૂછીને, જેમાં માત્ર ધર્મ જાણીને ગોળીબાર કર્યો અને 27 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના માનવતાને શર્મસાર કરનારી છે. સંગઠનના આગેવાનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદીઓ સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારોને ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ડીસામાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળા દહન

ટેગ્સ:#Deesa#activism#Government Action#Demand for Justice#Religious Identity#Protest Rally#Pahalgam Terror Attack#Effigy Burning#Vishva Hindu Parishad#Hindu Yuva Sanghatana Bharat#Outrage Against Terrorism#Innocent Victims#Community Condemnation#Tribute to Deceased#Slogans Against Terrorism
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
3 દિવસ પહેલા
