પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન...!

તંત્ર સત્વરે ગરનાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરાવે : વાહન ચાલકો
પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ વરસાદી પાણીનું સ્તર હજુ સુધી ઘટ્યું નથી.જેથી ટુ વહીલર સહિત નાના વાહન ચાલકોને વરસાદી પાણીમાં થઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા ગરનાળું તો બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ કારણે વાહન ચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય.
ટેગ્સ:#Road Safety#Community Action#Traffic Disruption#Rainwater Drainage#Weather Impact#Palanpur Highway#Public Infrastructure#Local Complaints#Driver Concerns#Administrative Responsibility#Small Vehicle Issues#Demand for Improvements
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
7 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
