સમસ્ત પાટીદાર સમાંજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા આજે ડીસાના બગીચા સર્કલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકરા ઉનાળાની કાળજાલ ગરમી અબોલ એવા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ઘર આંગણા નું પક્ષી ચકલીના માળાનું 10 રૂપિયાના નજીવા ટોકન દરે સમસ્ત પાટીદાર સમાજ ડીસા તેમજ સોમનાથ મીત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેનો મોટી સઁખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આજના આ પ્રસંગે પાટીદાર સમાજના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના સમય મોંબાઈલ રેડિયેશન તેમજ પર્યાવરણ ના વિનાશ ના પગલે ઘર આંગણાનું પક્ષી ચકલી ની સઁખ્યા ઘટી રહી છે. ત્યારે આવા નાનકડા પક્ષી ને બચાવવા માટે તેના માળા તેમજ પીવાના પાણીના કુંડાના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સઁખ્યા માં ડિસાવાસીઓ એ લાભ લીધો હતો.
સમસ્ત પાટીદાર સમાજ તેમજ સોમનાથ મીત્ર મંડળ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ

ટેગ્સ:#Deesa#public engagement#Environmental Awareness#Bird Conservation#Community Initiative#Water Troughs#Eco-Friendly Practices#Patidar Community#Somnath Mitra Mandal#Sparrow Nests#Summer Relief#Wildlife Protection
સંબંધિત સમાચાર
બનાસકાંઠાચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર 'સીલિંગ': અમીરગઢ અને અંબાજી છાપરી બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ
1 દિવસ પહેલા
બનાસકાંઠાટેટોડા હાઈવે પર સનસનાટી : અમદાવાદના વેપારીઓ લૂંટારુઓના નિશાને, ધોળે દિવસે થયેલી લૂંટથી જિલ્લા પોલીસ દોડતી થઈ
1 દિવસ પહેલા
