સમાજમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી એક પ્રેરણાદાયી ઘટના ઊંઝા ખાતે સામે આવી છે. 'સેવા પરમો ધર્મ' ના ઉમદા વિચારને ચરિતાર્થ કરતા પટેલ સોમાભાઈ શિવરામદાસ (બાંગા) પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ (હસ્તે. વસંતભાઈ) તરફથી સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનોની સુખાકારી અને તેઓ સ્વનિર્ભર બની શકે તેવા આશય સાથે ટ્રાય-સાયકલ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ઉમદા અને માનવતાવાદી અભિગમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ઊંઝા પણ સહયોગી બન્યું ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ઊંઝા માર્કેટયાર્ડના અગ્રણીઓ અને ટ્રસ્ટના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





