ડીસા ડેપો ખાતે તા.4.8.2025 ના રોજ એસ.ટી.નિગમ ડીસા ડેપો દ્વારા નવીન બસોને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસા ડેપોને ગુજરાત સરકારના અભિગમ મુજબ લોકોને સારી બસો મલે અને લોકોની સુખાકારીમા વધારો થાય તે હેતુથી ડીસા ડેપોમાં નવીન 6 બસો આપવામાં આવી આ બસોનું લોકાર્પણ પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, અમૃતભાઈ દવે, વર્ષાબેન પટેલ, રમેશભાઈ જે. વાડીયા, સાગરભાઇ નાઈ, રમેશભાઈ મેવાડા, ચેતનભાઈ પુરોહિત, નરેશભાઈ વછેર અને નગરપાલિકાના સેવકો સાથે સહકારથી નવીન બસોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ડીસા ડેપોના ડેપો મેનેજર સોનલબેન પટેલ દ્વારા સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને આર.કે. દેસાઈ દ્વારા કમૅચારીઓને પડતી મુશ્કેલી બાબતે સાંસદ પાસે માંગણી અને લાગણી દર્શાવી હતી. ત્યાર બાદ આવનારા મહેમાનોનું પુષ્પગુચ્છથી બહુમાન કરવામાં આવ્યુ. અને નવીન બસોને પ્રસ્થાન કરવામાં આવેલ આ પ્રસંગે ડીસા ડેપો કમૅચારીઓમાં ખોડાભાઇ ચૌધરી, કિરણભાઈ દવે, તલસિહ વાધેલા, હરીશભાઇ, દિનેશભાઇ રાવલ, મહેશભાઈ ચોધરી, રતિલાલ ચૌહાણ, વિપુલભાઈ નાયક, હિમાંશુભાઈ, અશ્વિનભાઈ રાવળ, રાજેન્દ્ર ચાવડા તથા અન્ય મિત્રોના સહકારથી કાયૅક્રમ સંપન્ન થયો હતો.
ડીસા ડેપો દ્વારા એસ.ટી. નિગમની નવી બસોને લીલી ઝંડી આપી લોકાર્પણ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામ હનીટ્રેપ: ₹15 લાખની ખંડણી માંગનાર માજી સરપંચ અને પત્રકાર સહિત 3 ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા હનીટ્રેપ કેસ: આખરે મુખ્ય સૂત્રધાર યુવતી ઝડપાઈ
1 દિવસ પહેલા
બનાસકાંઠાનાની આખોલ ગામે ત્રિદિવસીય હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા: મુખ્ય માર્ગ ખોદી નાખાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ
1 દિવસ પહેલા
