રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા23 જાન્યુઆરી, 2025| Super Admin

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ
ચૂંટણી બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે આક્ષેપ; ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ધાનેરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ નથી.પાલિકા છેલ્લા અંદાજિત ૨૨ મહિનાથી વહીવટદારનાં હવાલે છે.આટલો સમય થવા છતાં પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ નથી.જેને લઇ કોંગ્રેસ પક્ષમા ભારે નારાજગી જોવા મળી રહી છે.કોંગ્રેસ શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકામા હાલ જિલ્લા વિભાજન બાબતે પ્રજામા ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને આવા માહોલમા જો ચૂંટણી થાય તો કોંગ્રેસનો વિજય થાય. જેથી સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. પાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે જેમાં ૨૮ બેઠકો માટે ચૂંટણી થાય છે.ગત ટર્મમા યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપની હાર થઈ હતી. જોકે ચૂંટણી કેમ જાહેર નથી થઈ તેને લઈ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં વધારો થવાનો છે.ધાનેરાના ડીસા રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટી સાથે અન્ય સોસાયટીના વિસ્તારો પાલિકામાં સમાવેશ કરવાના છે જે નવા સીમાંકન પ્રમાણેની તૈયારી સાથે ચૂંટણી જાહેર થશે. ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા વિભાજન બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ચૂંટણી પંચે પાલિકાની ચૂંટણી જાહેર કરી નથી. હવે જોવાનું એ છે કે જિલ્લા વિભાજન બાબતે પરિણામ શુ આવે છે? ત્યારે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા સાથે જાહેર થશે કે પછી વાવ- થરાદના નવા જિલ્લા સાથે? તેને લઈ માહોલ હવે ગરમ થઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર