રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો
લગ્નમાં પ્રિવિડિંગ, હલ્દી રસમ અને સગાઇમાં રીંગ શેરીમની પર પ્રતિબંધ; પાલનપુર ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી.જેમાં સમાજના 25 માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની સાથે લગ્નોમાં વિવિધ રસમો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સાદગીથી લગ્ન પ્રસંગો યોજવાનો સર્વાનુમતે ઠરાવ કરવામા આવ્યો હતો. તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી જેમા સમાજના 25 માં સમૂહલગ્નની નવીન કમિટીની રચના કરી ભરતભાઈ ઘચેલિયાને બીજીવાર સમુલગ્નના પ્રમુખની જવાબદારી આપી 25 માં સમૂહલગ્નની 22 ફેબ્રુઆરી 2026 રજત જયંતી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમાજની 111 દીકરીઓ સમુલગ્નમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે લગ્નો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અટકાવવા માટે સમાજમાં લગ્ન પ્રસંગે પ્રિવીડિંગ અને હલ્દી રસમ તેમજ સગાઈમાં રિંગ શેરીમની જેવી પ્રથા પર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમા લેવાયો હતો અને સમાજના ન્યાય સમિતિના પ્રમુખ મોહનભાઈ પ્રજાપતિએ સમાજના ભાઈઓમાં જમીન બાબતે તકરાર થાય તો કોર્ટે કચેરીના પગથિયાં ચડવાના બદલે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી તકરારનું નિવારણ લાવવા અપીલ કરી હતી જેને સો સમજબંધુઓએ વધાવી લીધી હતી.

સંબંધિત સમાચાર