રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક માત્ર 26.22 ટકા

દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક માત્ર 26.22 ટકા

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ ચોમાસા દરમિયાન નવા પાણીની આવક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થયા હોવા છતાં, દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 26.22 ટકા જ જળજથ્થો ઉપલબ્ધ છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.ડેમમાં બચેલો આ જળજથ્થો મુખ્યત્વે પીવાના પાણી માટે જ ઉપયોગી બની શકે તેમ છે. સિંચાઈ માટે પાણી છોડવાની કોઈ શક્યતા ન હોવાથી જિલ્લાના ખેડૂતોમાં રવિ પાકના વાવેતર અંગે ચિંતા જોવા મળી રહી છે.મળતી માહીતી મુજબ સત્તાવાર આંકડા પ્રમાણે, દાંતીવાડા ડેમની હાલની જળસપાટી 570.55 ફૂટ (173.50 મીટર) છે. ડેમની કુલ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 399.66 એમસીએમ સામે હાલમાં માત્ર 104.631 એમસીએમ પાણી જ ઉપલબ્ધ છે, જે કુલ ક્ષમતાના 26.22 ટકા થાય છે.સામાન્ય રીતે, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલો ધનારી ડેમ છલકાય અને અંબાજી પંથક તેમજ બાલારામ નદી પટ વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે દાંતીવાડા ડેમમાં નવા પાણીની મોટી આવક થાય છે. જોકે, ચાલુ વર્ષે આ તમામ સ્ત્રોતોમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ડેમમાં પાણી આવવાનું બંધ રહ્યું છે.
દાંતીવાડા ડેમ બનાસકાંઠાના 110થી વધુ ગામોના ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય સ્ત્રોત છે, જે કેનાલ નેટવર્ક દ્વારા હજારો હેક્ટર જમીનને પાણી પૂરું પાડે છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, આગામી રવિ પાકના વાવેતર પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.હાલ ખેડૂતોની નજર હવે અંબાજી પંથક અને રાજસ્થાનના ઉપરવાસ વિસ્તારોમાં પડનારા વરસાદ પર ટકેલી છે. પૂરતો વરસાદ થાય તો જ ડેમમાં નવા પાણીની આવક શક્ય બનશે અને ખેડૂતોને રાહત મળશે, અન્યથા પાણી સંકટ વધુ ગંભીર બનવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર