અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ ન થવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સમયસર અને પૂરતો વરસાદ ન વરરસવાથી ખેતરોમાં ઉભેલા મુખ્ય પાકો સૂકાઈ રહ્યા છે અથવા તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અન્નદાતા ચિંતામાં મુકાયા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 'ખેડૂત એકતા મંચ' દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે મેઘરજ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે સરકાર સમક્ષ જોરદાર માંગ કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાય મળે તેવી અપેક્ષા છે.





