જિલ્લા કલેકટરને ગૌપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી
ગૌવંશની રક્ષા અને ગૌહત્યાને સદંતર અટકાવવાની સાથે સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સોમવારે પાટણ હરિઓમ ગૌશાળાની આગેવાની હેઠળ ગૌપ્રેમીઓ અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ગૌ પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવેલ. ગૌપત્રમાં મુખ્યત્વે ગૌહત્યા સાથે સંકળાયેલા ઇસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવા રજૂઆત કરવામાં આવે હતી. સાથે સાથે ગૌવંશની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી (કતલખાને જતા પશુઓ) અટકાવવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવા માંગ કરાય છે.તો રઝળતા ગૌવંશ માટે યોગ્ય નિભાવ, ઘાસચારાની વ્યવસ્થા અને પાંજરાપોળ તેમજ આશ્રય સ્થાનોને સરકારી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવે છે.





